સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 21 January 2016

રેડિયો મિર્ચીનાં આરજેની પત્નીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



રેડિયો મિર્ચીનાં આરજેની પત્નીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા

- બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

- મૃતકના પરિવારજનોએ આત્મહત્યા ન હોવાનો આક્ષેપ કર્યો

- નહેરૃનગરમાં રહેતા પત્નીએ આનંદનગર રોડ પરનાં ટાવર પરથી પડતુ મુક્યું

અમદાવાદ, ગુરૃવાર
નહેરૃનગરમાં રહેતી અમે રેડીયો મિર્ચીના આરજે કૃણાલ દેસાઈની પત્નીએ આનંદનગર રોડ પર આવેલા એક ૧૦ માળના ટાવર પરથી આજે બપોરે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને વિદેશમાં હનીમુન મનાવીને પરત આવ્યા હતા. જોકે પતિ સાથે ઝઘડો થતા તે છેલ્લા બે દિવસથી પિયરમાં હતી. જોકે તેના પરિવારજનોએ તેણે આત્મહત્યા નહી પણ તેની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આનંદનગર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
સેટેલાઈટમાં ઝાંસીની રાણીનાં પુતળા નજીક સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં પતિ કૃણાલ ઈશ્વરભાઈ દેસાઈ સાથે રહેતી ભૂમી પ્રવિણભાઈ પંચાલ (૨૪)એ આજે બપોરે અંદાજે ૨ વાગ્યે આનંદનગર રોડ પર આવેલા ૧૦ માળના સચીન ટાવરનાં ટેરેસ પરથી પડતું મુક્યું હતું.
પતિ સાથે ઝઘડો થતા ભુમિ તેના પિતાના શાહીબાગ સ્થિત ગુંજન એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા જ આવી ગઈ હતી.
આજે સવારે તે શાહીબાગથી જીજે ૦૧ આરજે ૧૦૪૮ નંબરની આઈ-૧૦ કાર લઈને નીકળી હતી. ત્યારબાદ તે સચીન ટાવરમાં આવી હતી અને કાર પાર્કિંગ કરીને એચ વિંગના ૧૦ માળના ટેરેસ પર ગઈ હતી. જ્યો પોતાનું પર્સ અને ચપ્પલ મુકીને તેણે નીચે પડતુ મુક્યું હતું. જોકે તેનો મોબાઈલ તેની સાથે જ હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના એક મિત્રને ફોન કરીને પોતે સુસાઈજ કરતી હોવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે.
ત્યારબાદ ભારે કોલાહલ થતા એચ વિંગમાં રહેતા દિવ્યાંગભાઈ પંડયા નીચે દોડી આવ્યા હતા. તેમણે જોયું તો કોઈ મહિલાએ સુસાઈડ કર્યું હતું, આથી તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસ  ઘટનાસ્થળે દોડી આવી હતી. દિવ્યાંગભાઈનાં જણાવ્યા મુજબ તેમણે જોયું તો મહિલા તેમના સચીન ટાવરની રહેવાસી ન હોવાનું જણાયું હતું. જોકે બાદમાં પોલીસ આવતા પોલીસે તપાસ કર્યા બાદ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેને પગલે તેના પરિવારજનો ઘટનાસ્થળે આવ્યા હતા. તેમનાં હૈયાફાટ રૃદનથી અહીંનું વાતાવરણ શોકમય બની ગયું હતું.
ભુમીનાં લગ્ન અગાઊ થયા હતા. પરંતુ પતિ સાથે અણબનાવને પગલે તેણે છુટાછેડા લીા હતા.
બીજીતરફ સચીન ટાવરનાં પ્રવેશદ્રાર પર સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેમાં ભુમી કાર લઈને આવી ત્યારે તેની સાથે કોઈ હતિં કે કેમ તે તપાસ બાદ જાણવા મળશે એમ પોલીસે કહ્યું હતું.
જોકે હાલમાં આનંદનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંીને વધુ તપાસ હાથ રી છે.

દુબઈમાં કોન્ટેસ્ટ જીતેલી ભૂમીને કૃણાલ સાથે પ્રેમ થયો હતો
બીબીએ થયેલી ભૂમી પંચાલ રેડિયો મિર્ચીની એક કોન્ટેસ્ટમાં જીતી ગઈ હતી. જેમાં દુબઈમાં તેની ઓળખ આરજે કૃણાલ સાથે થઈ હતી. જેમાં બન્ને વચ્ચે પ્રેમ થતા તેમણે પરિવારજનોની સંમતીથી તા. ૨૪.૧૧.૨૦૧૫નાં રોજ  લગ્ન કરી લીા હતા.

આટલી વાતમાં આવું તે કંઈ કરાય? ઃ કૃણાલ દેસાઈ
ભુમીએ આત્મહત્યા કરતા પહેલા તેના એક મિત્રને પોતે સુસાઈડ કરતી હોવાનો મેસેજ તેના એક મિત્રને કર્યો હતો. આથી તેણે ભુમીને ફોન કર્યો હતો પરંતુ ભુમી ફોન ઊપાડતી ન હતી. આથી તે સચીન ટાવર દોડી આવ્યો હતો. તેણે જોયુ તો ભુમી લોહીલુહાણ હાલતમાં પડી હતી. બાદમાં તેણે કૃણાલને ફોન કરતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેણે ભુમીને આ હાલતમાં જોઈને આટલી વાતમાં આવું તે કંઈ કરાતું હશે, એમ કહ્યું હતું, બાદમાં તે સચીન ટાવરનાં ગાર્ડનમાં બેસી ગયો હતો.

આ આત્મહત્યા નહી હત્યાનો બનાવ છે ઃ ભુમીના પરિવારજનો
ઘટનાસ્થળે દોડી આવેલા ભુમીના દાદા અને ફુઆએ આ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભુમીના ફુઆ રમેશ પંચાલનાં જણાવ્યા મુજબ ભુમીના પિતા દુેશ્વરમાં એન્જીનિયરિંગની ફેક્ટરી રાવે છે. ઘરેલું ઝઘડાને કારણે ભુમી બે દિવસથી તેના શાહીબાગમાં પિયરમાં આવી ગઈ હતી. ભુમીનો મૃતદેહ જે રીતે પડયો છે તે જોતા તેણે આત્મહત્યા નહી પણ કોઈએ તેને ક્કો માર્યો હોય તેવું જણાય છે. જોકે પોલીસ તપાસમાં બધુ બહાર આવશે.

બર્થડેના દિવસે ભુમી પતિ સાથે હનીમુન માટે બેંગકોક ગઈ હતી ઃ પોલીસ
આ કેસની તપાસ કરી રહેલા એમ ડિવીઝનનાં એસીપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ૧૪ જાન્યુઆરી નાં રોજ ભુમીનો બર્થડે હતો.આથી કૃણાલ અને ભુમી અન્ય ત્રણ કપલ સાથે હનીમુન માટે ૧૩ જાન્યુઆરીનાં રોજ બેંગકોક જવા રવાના થયા હતા. જ્યાં તેઓ ૧૮ જાન્યુઆરી સુી રોકાયા હતા.
Source :- http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment