સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 24 November 2015

મતાધિકારની સાથે ચૂંટણી લડવાનો હક પણ છીનવ્યો

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



મતાધિકારની સાથે ચૂંટણી લડવાનો હક પણ છીનવ્યો


અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનના દિવસે જ મતદારયાદીમાંથી ૧.૦૪ લાખ મતદારોના નામ કમી થવાની ઘટનાને લીધે વિવાદ થયો છે પણ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં મતદારોની કમી યાદી છુપાવવાને લીધે કેટલાંક ઉમેદવારોનો ચૂંટણી લડવાનો અધિકાર પણ છીનવાઇ ગયો હતો. શહેરના પાલડી વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ કમી યાદીમાંથી હોવાથી તેમનું ચૂંટણી ફોર્મ રદ થયું હતુ. જેથી ડમી ઉમેદવારને ચૂંટણી લડી શક્યા હતા બીજી તરફ વટવા વોર્ડમાં ભાજપના ઉમેદવારના ટેકેદારનું નામ કમી યાદીમાંથી હોવાથી તેમનું પણ ફોર્મ રદ થયું હતુ જેથી ડમી ઉમેદવારનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતુ જોકે, કમી મતદારોની યાદી છુપાવવાને લીધે સૌથી વધુ નુકશાન અપક્ષ ઉમેદવારને થયું હતુ કેમ કે, કમી મતદારયાદીમાં ટેકેદાર કે પછી પોતાનું નામ હોવાને લીધે આઠ અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયાં હતા.
 અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા એક મહિનાનો મતદારયાદી સુધારણા કાર્યક્રમ આપવાનો હોય છે પણ રાજ્ય ચૂંટણી પંચે હાઇકોર્ટની ફટકાર બાદ ઉતાવળે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થઇ હતી. જેથી મતદારયાદી સુધારણા કરવા માટે એક મહિનાનો કાર્યક્રમ આપવામાં આવ્યો ન હતો એટલે કે, ૨૧મી ઓકટોબરના રોજ મતદારયાદી સુધારણાની કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાનમાં ચૂંટણીની જાહેર થતાં નામ નોંધવાની પ્રક્રિયા બંધ કરી દેવાઇ હતી. ગત ૧૦મી નવેમ્બરના રોજ જ્યારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યાં સુધી જાણી જોઇને મતદારયાદીમાં ઉમેરાયેલા મતદારોની પુરવણી યાદી અને નામ કમી થયાની કમી યાદી છુપાવવામાં આવી હતી. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે કેટલાંક અપક્ષ ઉમેદવારો તો જુની યાદી પ્રમાણે ફોર્મ ભરીને આવ્યા હતા જેથી કેટલાંક ઉમેદવારોના ટેકેદારોના નામ કમી યાદીમાં હતા. બહેરામપુરા, લાંભા, વટવા, સરસપુર-રખિયાલ સહિતના વોર્ડમાં અપક્ષ ઉમેદવારોના નામ રદ કરી દેવાયા હતા. આમ ૧૦મી નવેમ્બરે જ કેટલાંક મતદારોના મતાધિકારની સાથે ચૂંટણી લડવાનો હક છીનવી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ.ના મતદાનના એક દિવસ પહેલા જ કલેકટર અને ચૂંટણી પંચે ૩૯.૮૩ લાખ મતદારોની યાદી રજૂ કરવામાં આવી હતી પણ જ્યારે મતદાન યોજાયું તો શહેરમાં ઠેર-ઠેર મતદારયાદીમાંથી નામ કમી થયાની ફરિયાદો ઉઠી હતી. એક સાથે ૧.૦૪ લાખ મતદારોના નામ ગાયબ થઇ ગયા પાછળનું કલેકટર કચેરી અને ચૂંટણી પંચનો તર્ક મતદારોના ગળે ઉતરી રહ્યો નથી.
વરેશ સિંહા ઉપર દેશદ્રોહનો કેસ દાખલ કરવા એસપીજીની માગણી
આજે સરદાર પટેલ સમિતીના આગેવાનોએ અમદાવાદ જિલ્લા કલેકટરને અરજી આપી હતી જેમાં તેમણે માંગણી કરી હતી કે, પાટીદાર સમાજના લોકોને વોટ આપવાથી વંચિત રાખવામાં આવ્યા છે. તે એક મોટો અપરાધ છે. તેના માટે જવાબદારોને સજા થવી જોઇએ. ઉપરાંત એસપીજીએ ભાજપ ઉપર સત્તાનો દુરઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતુ કે, ભાજપે સત્તાનો દુરઉપયોગ કરીને આચારસંહિતાનો ભંગ થયો છે. તેથી તેમની ઉપર ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકી દેવા જોઇએ. મતદારયાદીમાંથી કમી થયેલા પાટીદારોને પુનઃ વોટ આપવાની તક મળે તેવી માંગણી કરી હતી. ઉપરાંત મતદારયાદીમાંથી નામ કમી થયાના મુદ્દે ચૂંટણી કમિશનર વરેશ સિન્હા સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાની માંગણી કરી હતી.
Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3180447
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment